વલસાડ જિલ્લાના જવેલર્સ સંચાલકો, આંગડિયા પેઢી સંચાલકો અને નોન બેંકીગ ફાઇનાન્સ કંપનીના સંચાલકો સાથે વલસાડ મોરારજી દેસાઈ હાલ ખાતે વલસાડ SP કરનરાજ વાઘેલાના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વેપારીઓ અને પેઢી સંચાલકોની સમય સુચકતા ઘણી ઘટનાઓ થતી અટકાવી શકાય હતી. જેને લઈને વલસાડ જિલ્લાના વેપારીઓને તકેદારી અને જરૂરી સાવચેતી રાખવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. વલસાડ SP કરનરાજ વાઘેલાએ જવેલર્સ સંચાલકો અને આંગડિયા પેઢી સંચાલકોને જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ આગામી દિવસોમાં આવનારી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મોટી સંખ્યામાં રોકડ નાણાકીય વ્યવહાર કરવા આવતા લોકોને તેમજ શંકાસ્પદ ઇસમોની જરૂરી માહિતી નજીકના પોલીસ મથકે આપવા વેપારીઓને અનુરોધ કર્યો હતો.





