Explore

Search

February 4, 2026 12:52 pm

IAS Coaching

વાપી પાસે બલીઠા ફાટક 21 થી 24 ઓક્ટોબર સુધી બંધ રહેશે.

વાપી ખાતેના બલીઠા ફાટક (એલ.સી.81) પરના બ્રિજના ગર્ડર લોન્ચિંગ માટે તા.21 ઓકટોમ્બર રાત્રિના 12 વાગ્યાથી 24 ઓકટોમ્બર સાંજના 4 વાગ્યા સુધી ટ્રાફિકની અવરજવર માટે બંધ રહેશે. આ દરમિયાન ટ્રાફિકની અવરજવર માટે ને.હા.નં. 48 ઉપર વલસાડ- સુરત- દમણ જવા તથા આવવા માટે તમામ પ્રકારના વાહનો મોતીવાડા ઓવરબ્રિજ (એલ.સી.નં. 88)થઈ આવન જાવન કરી શકશે. ને.હા.નં. 48 ઉપર મુંબઈ-દમણ જવા તથા આવવા માટે તમામ પ્રકારના વાહનો મોહનગામ ફાટક ઓવરબ્રિજ (એલ.સી.નં. 77)થી આવન જાવન કરી શકશે.

લાંબા સમયથી બલીઠા ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. પરંતુ મેગા બ્લોક ન મળવાથી ગર્ડરના લોન્ચિંગની કામગીરીની રાહ જોવાતી હતી. હવે રેલવે વિભાગે મેગા બ્લોકની મંજુરી આપતાં ત્રણ દિવસ ગર્ડર લોન્ચિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ દરમિયાન લોકોએ હાલાકી ભોગવવી પડશે. આમ દિવાળી પછી બલીઠા ઓવરબ્રિજને કાર્યરત કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. ઘણાં સમયથી બ્રિજને શરૂ કરવાની રાહ જોવામાં આવી રહી છે.

 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot